- આદુનો રસ અને તુલસીનો રસ સુંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
- લસણની કળીઓ પીસીને કાનપતી પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
- દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.
- હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી આધાશીશી મટે છે.
- સુઠને પાણીમાં ઘસી અને ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
- દુધમાં ઘી મેળવી , પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
- સુરજ ઉગે તે પહેલા ગરમાગરમ , તાજી , ચોખ્ખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે.
- માથું દુખતું હોઈ તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતારે છે.
- આમળાનું ચૂર્ણ , સાકર અને ઘી સરખે ભાગે લઇ ખાવાથી માથું દુખતું હોય તો ઉતારે છે.
- એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી ,ઉકાળીને પીવાથી ,તેનો વાક ( નાસ) લેવાથી માથાનો દુખાવો મટે છે.
- ઠંડા દુધમાં સુંઠ ઘસીને ,તે દુધમાં ૩-૪ ટીપા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
- આર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે.
- માથું દુખતું હોય તો તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઉતરે છે.
- નાળીયેલનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
- લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે.
- લવિંગ અને તમાકુના પાન વાટીને માથા ઉપર લેપ કરવાથી આધાશીશી નું દર્દ મટે છે .
- નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી ૧૫ મીનીટમાં માથાનો દુખાવો મટે છે.
- મારીને શુદ્ધ ઘીમાં ઘસીને નાકમાં ટીપા પડવાથી આધાશીશી મટે છે.
- જીભ ઉપર ચપટી મીઠું મૂકી , દશ મિનીટ પછી એક ગ્લાસ પાણી પીવાથી ગમે તેવો માથાનો દુખાવો મટે છે.
Tuesday, February 16, 2016
આધાશીશી - માથાનો દુખાવો
Published :
February 16, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment