- વાળ ખરતા હોય તો દીવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહિ .
- માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે
- અમળા , કાળા તલ , ભાંગરો અને બ્રામ્હી સરખે ભાગે લઇ , વાટીને પાઉડર બનાવી , રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
- ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથું ધોવાથી જુ અને ખોડો મટે છે.
- ચણાને છાસમાં પલાળીને , ચણા એકદમ પોચા થાય ત્યારે , માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જુ અને ખોડો મટે છે.
- તલના ફૂલ , ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની તાલ મટે છે.
- પાશેર કોપરેલમાં ખોબો ભરીને મેદીના પાન ઉકાળવા . તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથાના વાળ ખુબ વધે છે અને કાળા પણ થાય છે.
- કાંદાનો રસ માથામાં ભરવાથી જુ મરી જાય છે.
- લીમડ ના પાનને પાણીમાં વાટીને , તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.
- વાળ ખરી પડતા હોય ત્યારે તે પર ગોરાળું માટી-પ્રવાહી-લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
- છાલ સાથે ની કાકડી ખાવાથી વાળમાં ચમક આવે છે.
- ગરમ પાણી માં આમળાનો ભૂકો નાખી , ઉકાળો , આ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે.
- માથાના વાળ ખરતા હોય તો , ૫૦૦ ગ્રામ સુધ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ સુકી મેથી નાખી , સૂર્યના તડકામાં સાત દિવસ રાખો .ત્યાર બાદ તે તેલ ગાળીને બાટલીમાં ભરી લ્યો . આ તેલ સવાર સાંજ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે , વાળ કાળા થાય છે અને નવા વાળ ઉગે છે.
Tuesday, February 16, 2016
વાળની માવજત
Published :
February 16, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment