Tuesday, February 16, 2016

વાળની માવજત

                             


  1. વાળ ખરતા હોય તો દીવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહિ .
  2. માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે
  3. અમળા , કાળા તલ  , ભાંગરો અને બ્રામ્હી સરખે ભાગે લઇ , વાટીને પાઉડર બનાવી , રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
  4. ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથું ધોવાથી જુ અને ખોડો મટે છે.
  5. ચણાને છાસમાં પલાળીને , ચણા એકદમ પોચા થાય ત્યારે , માથા ઉપર મસળીને બે કલાક પછી માથું  ધોવાથી જુ અને ખોડો મટે છે.
  6. તલના ફૂલ , ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની  તાલ મટે છે.
  7. પાશેર કોપરેલમાં ખોબો ભરીને મેદીના પાન ઉકાળવા . તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથાના વાળ ખુબ વધે છે અને કાળા પણ થાય છે.
  8. કાંદાનો રસ માથામાં ભરવાથી જુ મરી જાય છે.
  9. લીમડ ના પાનને પાણીમાં વાટીને , તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.
  10. વાળ ખરી પડતા હોય ત્યારે તે પર ગોરાળું માટી-પ્રવાહી-લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
  11. છાલ સાથે ની કાકડી ખાવાથી વાળમાં ચમક આવે છે.
  12. ગરમ પાણી માં આમળાનો ભૂકો નાખી  , ઉકાળો , આ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે.
  13. માથાના વાળ ખરતા હોય તો , ૫૦૦ ગ્રામ સુધ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ સુકી મેથી નાખી , સૂર્યના તડકામાં સાત દિવસ રાખો .ત્યાર બાદ તે તેલ ગાળીને બાટલીમાં ભરી લ્યો . આ તેલ સવાર સાંજ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે , વાળ કાળા થાય છે અને નવા વાળ ઉગે છે.

0 comments:

Post a Comment