- અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
- પાકા ટામેટાનો એક કપરસ પીવાથી આતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
- રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.
- લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
- નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.
- ખજુર રાત્રે પલાળી રાખી ,સવારે મસળી ,ગળી ને આ પાણી પીવાથી કબજિયાત મટે છે.
- ગરમ પાણી માં એક ચમચી આદુનો રસ,એક ચમચી લીંબુ નો રસ ને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.
- રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે.
- ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર-સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
- ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજિયાત મટે છે.
- રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દુધમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી કબજિયાત મટે છે.
- અજમાના ચૂર્ણમાં સંચળ નાખી ફાકવાથી કબજિયાત મટે છે.
- તુલસીના ઉકાળામાં સિંધવ અને સુંઢ ભેળવીને ફાકવાથી કબજિયાત મટે છે.
- જાયફળ લીંબુના રસમાં ઘસીને ને તે ઘસારો લેવાથી કબજીયાત મટે છે.
- જમ્યા પછી એકાદ કલાકે ત્રણ થી પાચ હિમેજ ખુબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.
- કાંદાને ગરમ રાખમાં શેકી,રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે.
- દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરીયાળી રોજ ફાકવાથી કબજિયાત દુર થાય છે.
- કબજિયાત હોય અને ભૂખ ઓછી હોય તો સૂઠ,પીપર,જીરું,સિંધાલુણ ,કળા મરી સરખે ભાગે લઇ,બારીક વાટી,ચૂર્ણ બનાવી,બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.
- કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી ,સવારે દ્રાક્ષને મસળી,ગાળી,તે પાણી પીવાથી કબજિયાત મટે છે.
Monday, February 8, 2016
કબજિયાત
Published :
February 08, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment