Monday, February 8, 2016

અનિન્દ્રા-ઊંઘ ન આવવી


  1. સુતા પહેલા ઠંડા પાણી વડે હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
  2. ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ સારી આવે છે.
  3. કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે
  4. પીપરીમૂળના ચૂર્ણની  ફાકી લેવાથી અને પગે ઘસવાથી સારી ઊંઘ આવે છે.
  5. ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે.
  6. કુમળા વેગણને શેકી,મધમાં મેળવીને સુતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.
  7. વરીયાળી , દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી ઊંઘ સારી આવે છે.
  8. જાયફળ,પીપલીમૂળ તથા સાકાર દુધમાં નાખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
  9. ૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સુતી વખતે લેવાથી ઊંઘ સારી આવે છે.
  10. ખુબ વિચાર,વાયુ કે વૃધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઉડી જાય ત્યારે ગથોદાનું ચૂર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
  11. દુધમાં ખાંડ તથા ગથોડાનું ચૂર્ણ નાખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.
  12. રાતના સુતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલ્દી આવી જાય છે.

0 comments:

Post a Comment