Monday, February 8, 2016

શરદી



  1. ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
  2. ગરમાગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે. 
  3. સુંઠ,કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
  4. નાગરવેલના બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદીમાં રાહત થાય છે.
  5. રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
  6. આદુનો રસ અને મધ એક એક ચમચી સવાર સાંજ પીવાથી શરદી મટે છે.
  7. રાઈ ને વાટી મધ ભેળવીને પીવાથી શરદી મટે છે.
  8. ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
  9. અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદી મટે છે.
  10. ગરમાગરમ દુધમાં મરીની ભૂકી અને સાકાર નાખીને પીવાથી શરદી મટે છે. 
  11. મરી,તજ,અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
  12. લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદીમાં રાહત થાય છે.
  13. પાણીમાં સુંઠ નાખી ઉકાળીને પીવાથી શરદી મટે છે.
  14. કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
  15. હળદરનો ધુંવાડો સુંઘવાથી શરદી તરત જ મટી જાય છે.
  16. રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી ( ઉપર પાણી પીવું નહિ ) શરદી મટે છે.
  17. કાંદાના રસના ટીપા નાકમાં નાખવાથી શરદી મટે છે.
  18. ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
  19. ફુદીનાના રસના ટીપા નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે
  20. લવિંગના તેલને રૂમાલમાં નાખી સુંઘવાથી શરદી સળેખમ મટે છે.
  21. સુંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુક ઘી નાખી તેની ત્રણ - ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપયોગ ખુબ જ લાભદાયક છે.આનાથી શરીરની શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.
  22. સુંઠ,તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી , સળેખમ મટે છે.
  23. તુલસીના પાનનો રસ ને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.
  24. તુલસીના પાનવાળી ચા પીવાથી શરદી ,સળેખમ મટે છે.
  25. તુલસી , સુંઠ,કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ વાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
  26. ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.

0 comments:

Post a Comment