- ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
- ગરમાગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.
- સુંઠ,કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- નાગરવેલના બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદીમાં રાહત થાય છે.
- રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
- આદુનો રસ અને મધ એક એક ચમચી સવાર સાંજ પીવાથી શરદી મટે છે.
- રાઈ ને વાટી મધ ભેળવીને પીવાથી શરદી મટે છે.
- ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદી મટે છે.
- ગરમાગરમ દુધમાં મરીની ભૂકી અને સાકાર નાખીને પીવાથી શરદી મટે છે.
- મરી,તજ,અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદીમાં રાહત થાય છે.
- પાણીમાં સુંઠ નાખી ઉકાળીને પીવાથી શરદી મટે છે.
- કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
- હળદરનો ધુંવાડો સુંઘવાથી શરદી તરત જ મટી જાય છે.
- રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી ( ઉપર પાણી પીવું નહિ ) શરદી મટે છે.
- કાંદાના રસના ટીપા નાકમાં નાખવાથી શરદી મટે છે.
- ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
- ફુદીનાના રસના ટીપા નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે
- લવિંગના તેલને રૂમાલમાં નાખી સુંઘવાથી શરદી સળેખમ મટે છે.
- સુંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુક ઘી નાખી તેની ત્રણ - ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપયોગ ખુબ જ લાભદાયક છે.આનાથી શરીરની શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.
- સુંઠ,તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી , સળેખમ મટે છે.
- તુલસીના પાનનો રસ ને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.
- તુલસીના પાનવાળી ચા પીવાથી શરદી ,સળેખમ મટે છે.
- તુલસી , સુંઠ,કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ વાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
- ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.
Monday, February 8, 2016
શરદી
Published :
February 08, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment