- આદુનો રસ અને તુલસીનો રસ સુંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
- લસણની કળીઓ પીસીને કાનપતી પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
- દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.
- હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી આધાશીશી મટે છે.
- સુઠને પાણીમાં ઘસી અને ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
- દુધમાં ઘી મેળવી , પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
- સુરજ ઉગે તે પહેલા ગરમાગરમ , તાજી , ચોખ્ખા ઘીની જલેબી ખાવાથી આધાશીશી મટે છે.
- માથું દુખતું હોઈ તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતારે છે.
- આમળાનું ચૂર્ણ , સાકર અને ઘી સરખે ભાગે લઇ ખાવાથી માથું દુખતું હોય તો ઉતારે છે.
- એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી ,ઉકાળીને પીવાથી ,તેનો વાક ( નાસ) લેવાથી માથાનો દુખાવો મટે છે.
- ઠંડા દુધમાં સુંઠ ઘસીને ,તે દુધમાં ૩-૪ ટીપા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
- આર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે.
- માથું દુખતું હોય તો તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઉતરે છે.
- નાળીયેલનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
- લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે.
- લવિંગ અને તમાકુના પાન વાટીને માથા ઉપર લેપ કરવાથી આધાશીશી નું દર્દ મટે છે .
- નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી ૧૫ મીનીટમાં માથાનો દુખાવો મટે છે.
- મારીને શુદ્ધ ઘીમાં ઘસીને નાકમાં ટીપા પડવાથી આધાશીશી મટે છે.
- જીભ ઉપર ચપટી મીઠું મૂકી , દશ મિનીટ પછી એક ગ્લાસ પાણી પીવાથી ગમે તેવો માથાનો દુખાવો મટે છે.
Tuesday, February 16, 2016
આધાશીશી - માથાનો દુખાવો
Published :
February 16, 2016
Author :
Unknown
બેહોશી
Published :
February 16, 2016
Author :
Unknown
- કાંદાની ચાર ચોરી કરીને બેહોશ માણસને સુગાડવાથી બેહોશી મટે છે.
- હિસ્તીરિયાની ફીટ વખતે કાંદો કાપીને સુગાડવાથી બેહોશી મટે છે.
- મરીનું ચૂર્ણ આંખમાં આજવાથી માનસ બેશુદ્ધ થયો હોય તે ચેતનમાં આવે છે.
- મરીનું ચૂર્ણ નાકમાં ફૂકવાથી બેશુદ્ધ માણસને ઘણી છીકો આવે અને બેહોશી મટે છે .
- કોઈ દર્દને કારણે દર્દીનું શરીર એકદમ ઠંડુ પડતું જાય કે નાડી ડૂબતી જાય તો ૧૦૦ ગ્રામ પાણીમાં ૫ ગ્રામ લવિંગનો ભૂકો નાખી ઉકાળી તે પાણીથી દર્દીના હાથ પગના તળિયા , છાતી , માથું , ગરદન બધે સારી રીતે માલીસ કરવું આખા શરીરમાં ગરમાવો આવી જશે અને મંદ નાડી તેજ થશે.
વજન વધારવા / લોહી શુદ્ધ કરવા
Published :
February 16, 2016
Author :
Unknown
- નરણે કોઠે ખજુર સાથે દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને વજન વધે છે.
- કોથમીરનો તાજો રસ અને લીંબુનો રસ ભેળવીને રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ બને છે ને વજન વધે છે
- રાત્રે ભેસના દુધમાં આખા ચણા પલાળી રાખી સવારે ખાવાથી શક્તિ અને વજન વધે છે.
- ખજુર દસ તોલા અને દ્રાક્ષ પાચ તોલા દરરોજ ખાવાથી સુકલકડી શરીરમાં નવું લોહી પેદા થાય છે અને ખુબ ફાયદો થાય છે.
જાડાપણું
Published :
February 16, 2016
Author :
Unknown
- એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું મટે છે.
- પાકા લીંબુનો રસ અઢી તોલા તથા વીસ તોલા મધ લઇ , સહેજ ગરમ પાણીમાં મેળવી , જમ્યા બાદ તરત પીવાથી એક બે મહિનામાં જાડાપણું મટે છે.
- તુલસીના પાન એકલા કે છાસમાં ખાવાથી વજન ઘટે છે શરીરમાંથી ચરબી ઓછી થાય છે અને શરીર સપ્રમાણમાં બને છે.
- સહેજ ગરમ પાણીમાં મધ મેળવી સવારે નરણે કોઠે પીવાથી ચરબી ઉતરે છે . ગણપતિ જેવી વ્યક્તિ પણ આ પ્રોયોગથી ઓગળી જાય છે.
પિત્ત
Published :
February 16, 2016
Author :
Unknown
- ટામેટાના સૂપમાં સાકર મેળવી પીવાથી પિત્ત મટે છે.
- શેરડીનો રસ પીવાથી પિત્ત મટે છે.
લુ લાગવી
Published :
February 16, 2016
Author :
Unknown
- કાંદાના રસના ટીપા લુ લાગેલી વ્યક્તિના નાકમાં નાખવાથી આરામ થાય છે.
- કાચી કેરી પાણીમાં ઉકાળી , સાકાર મેળવી શરબત બનાવી પીવાથી આરામ થાય છે
- તુલસીના પાનનો રસ ખાંડ મેળવીને પીવાથી આરામ થાય છે.
- કાંદો , જીરું ને ખાંડ વાટીને ખાવાથી આરામ મળે છે.
Subscribe to:
Posts (Atom)