Monday, March 21, 2016

કમરનો દુખાવો - સંધિવા


  1. અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે
  2. સુંઠ અને ગોખરું સરખે ભાગે લઇ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે
  3. સુંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મટે છે
  4. ખજુરની પાચપેશીનો ઉકાળો કરી ,તેમાં અર્ધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે
  5. સુંઠ,લસણ,અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેની માલીસ  કરવાથી કમરનો દુખાવો તેમજ દુખતા સાંધામાં આરામ થાય છે.
  6. સુંઠ અને હિંગ નાખીને તેલ ગરમ કરી તેની માલીશ કરવાથી કમરનો દુખાવો તેમજ શરીર જકડાઈ ગયું હોઈ તો તે મટે છે. સાંધાનો દુખાવો પણ મટે છે.
  7. રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલીસ કરવાથી સાંધાનો દુખાવો મટે છે.
  8. આદુના રસમાં થોડું મીઠું નાખીને માલીશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે, ડોકી રહી ગય હોય તો તે પણ મટે છે.
  9. જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલીશ કરવાથી જકડાયેલા સાંધા છુટા પડે છે અને સંધિવા મટે છે
  10. લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુખાવો મટે છે.
  11. ધાણા ૧૦ ગ્રામ અને સુંઠ ૩ ગ્રામ લઇ વાટી , તેનો ઉકાળો બનાવી , તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુખાવો અને છાતી નો દુખાવો મટે છે.
  12. સુંઠ,સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારના શૂળ મટે છે.
  13. જીરું , હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી શૂળ મટે છે.
  14. એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુખાવો મટે છે.
  15. સુંઠનો  ઉકાળો કરી,તેમાં એક ચમચી  દીવેલ નાખીને પીવાથી સંધિવાનો દુખાવો મટે છે.
  16. દોથ બે તોલા મેથી રોજ ફાકવાથી વ મટે છે.
  17. કોઈ પણ પ્રકારના શૂળ-પડખા , છાતી , હદય કે  માથામાં દુખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરી તેના પર માલીસ કરવાથી તરત આરામ થાય છે. આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પી જવો.
  18. મેથીને થોડા ઘી માં શેકી તેનો લોટ કરવો , તેમાં ગોળ ,ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા .આ લાડુ ૮-૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો અને સંધિવા મટે છે.જકડાઈ ગયેલા અંગો છુટા પડે છે અને હાથે પગે થતી કળતર પણ મટે છે.
  19. કાચા બટાટાની છાલ કાઢ્યા વગર ટુકડા કરી તેનો રસ કાઢી તુરત જ પીવાથી સંધિવામાં ઘણો ફાયદો થાય છે. 
  20. તાંબાના વાસણમાં આખીરાત રાખેલું પાણી સવારે નરણે કોઠે પીવાથી સંધિવા ફાયદો થાય છે.
  21. સુંથનો કાઢો બનાવીને પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
  22. સાંધાના દુખાવામાં કેરોસીન જરા ગરમ કરી માલીશ કરો.
  23. દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવાના દર્દીને ખુબ જ ફાયદો થાય છે. દરિયાના પાણીમાં સ્નાન કરવાનું શક્ય ના હોય તો દરિયાઈ મીઠું ગરમ પાણીમાં ઓગળી તેનાથી સ્નાન કરવું.
  24. કોચાના બીજ ૧ કિલો લઇ  સાંજે પાણીમાં પલારો.સવારે તેના ફોતરા ઉખાડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સુકવી દો સુકાયા બાદ તેનું ચૂર્ણ બનાવી ૩ ગ્રામ ચૂર્ણ સાથે ૧ ગ્રામ અશ્વગાંધા નું ચૂર્ણ મેળવી રોજ સવારે અને રાત્રે જમ્યા પહેલા ગરમ દૂધ સાથે લેવાથી સંધિવા તથા લકવાના રોગીને ફાયદો થાય છે.

2 comments:

  1. ગુજરાતી કોમ જેવી જન સેવા કોયી પણ કરી સકતો નથી
    દેસી દવા ના
    સ્ન્ચાલ્કો ને ધન્યવાદ

    ReplyDelete
  2. અપનો ખુબ ખુબ આભાર

    ReplyDelete