Monday, March 21, 2016

ખરજવું ,ખસ ,ખૂજલી ,દરાજ



  1. ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે .
  2. તાંદલજા ભાજીના રસમાં સાકાર મેળવીને પીવાથી ખસ મટે છે.
  3. જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખૂજલી મટે છે.
  4. એળીઓ દહિમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.
  5. ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે.
  6. ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.
  7. દાદર-ખરજવા ઉપર ઘાસલેટમાં ગંદક મેળવીને લગાડવાથી તે મટી જાય છે.
  8. ખંજવાળ આવતી હોઈ તો તુલસીના પાનનો રસ ઘસવાથી તે મટી જાય છે.
  9. તુવેરના પણ બાલી દહીં સાથે લગાડવાથી ખાસ મટે છે.
  10. આખા શરીરે ખંજવાળ આવતી હોઈ તો સરસવના તેલ થી માલિશ કરવાથી ખંજવાળ મટે છે.
  11. કોપરેલ અને લીંબુ નો રસ મેળવી શરીર પર માલિશ કરવાથી ખુજલી,દરાજ મટે છે.
  12. મધ્યમ કદના ખેતરમાં થતું બટાટુ બાફી,તેની પોટિશ કરી રાત્રે ખરજવા પર મૂકી પાટો બાંધી સવારે છોડી નાખવો .આ રીતર રોજે 1 મહિનો કરવાથી જૂનું,હઠીલું સૂકું ખરજવું મટે છે.
  13. રાઇને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી તે મટે છે.
  14. ચણાના લોટમાં પાણી મેળવી શરીરે માલિશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
  15. આમળા બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
  16. કોપરું ખાવાથી અને કોપરું વાટી બારીક ખીરું કરી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે.
  17. ટામેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ ઉમેરી તેનાથી માલિશ કરી,અર્ધ કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.
  18. પપૈયા નું  દૂધ અને ટંકારખાર ને ઉકળતા પાણીમાં મેળવે લેપ કરવાથી ખરજવું , ખસ મટે છે.
  19. કુંવાડીયાનાં બીજને ખાતી છાસમાં અથવા લીંબુ ના રસ માં વાટી અને મલમ જેવું બનાવીને દાદર ઉપર લગાડવાથી દાદર મટે છે. 
  20. કડવા લીંબડાના કુણા પાનને પાણીમાં ઉકાળી ,પાણી સાધારણ ઠંડુ થાય ત્યારે તે પાણીથી દાદરવાળો ભાગ ધોઈને દિવસમાં ત્રણ-ચાર વાર મલમ લગાડવો.
  21. ખરજવા ઉપર લીંબડાના બાફેલા પણ બાંધવાથી ,લીંબડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
  22. બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
  23. કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
  24. કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાવવાથી ખરજવું મટે છે.
  25. ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાલી તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.

                                            0 comments:

                                            Post a Comment