Monday, March 21, 2016

કાનની પીડા


  1. આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે.
  2. મધના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
  3. તલના તેલમાં હિંગ નાખી ઉકાળી તે તેલના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
  4. નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેના ટીપા નાખવાથી કાનના ચસકા અને કાનનો દુખાવો મટે છે.
  5. તેલમાં લસણની કળી કકડાવીને ,તે તેલના ટીપા કાનમાં નાખવાથી કાનના સાંસા અને કાનની રસી મટે છે .
  6. તુલસીના રસના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને ચસકા મટે છે અને પરુ થયું હોઈ તો તે પણ મટે છે .
  7. કાંદા નો રસ અને મધ મેળવી તેના ટીપા કાનમાં નાખવાથી સણકા મટે છે અને પરુ થયું હોય તો તે પણ મટે છે.
  8. આંબાના પાનનો રસ ગરમ કરીતેના ટીપા નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.
  9. ફુલાવેલી ફટકડી અને હળદર ભેગા કરી કાનમાં નાખવાથી કાં પકિયો હોય અને રસી નીકળતી હોઈ તો તે મટે છે.
  10. વરિયાળી અડકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો .તે પાણીની વરાળ દુખતા કાં પર લેવાથી કાનની બહેરાશ ,કાનનું શૂલને કાનમાં થતો અવાજ મટે છે.
  11. તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.
  12. કાનમાં કોઈ  જીવ જંતુ ભરાઈ ગયું હોઈ તો સરસિયાના તેલના ટીપા નાખવાથી તે મરી જશે.
  13. સફેદ કાંદાના રસના ટીપા રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.
  14. કાનમાં બગાઈ,કાનખજુરો જેવા જીવજંતુઓ ગયા હોઈ તો મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપા નાખવાથી ફાયદો થાય છે,કાનનું શૂળ ને રસી પણ મટે છે.
  15. કાનમાં દુખાવો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કારિકાનમાં નાખવાથી દુખાવો અને ચસકા મટે છે.
  16. કાનમાં બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબ ના ટીપા દરરોજ નાખતા રહેવાથી બહેરાશ દૂર થાય છે.

0 comments:

Post a Comment