- આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે.
- મધના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
- તલના તેલમાં હિંગ નાખી ઉકાળી તે તેલના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
- નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેના ટીપા નાખવાથી કાનના ચસકા અને કાનનો દુખાવો મટે છે.
- તેલમાં લસણની કળી કકડાવીને ,તે તેલના ટીપા કાનમાં નાખવાથી કાનના સાંસા અને કાનની રસી મટે છે .
- તુલસીના રસના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને ચસકા મટે છે અને પરુ થયું હોઈ તો તે પણ મટે છે .
- કાંદા નો રસ અને મધ મેળવી તેના ટીપા કાનમાં નાખવાથી સણકા મટે છે અને પરુ થયું હોય તો તે પણ મટે છે.
- આંબાના પાનનો રસ ગરમ કરીતેના ટીપા નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.
- ફુલાવેલી ફટકડી અને હળદર ભેગા કરી કાનમાં નાખવાથી કાં પકિયો હોય અને રસી નીકળતી હોઈ તો તે મટે છે.
- વરિયાળી અડકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો .તે પાણીની વરાળ દુખતા કાં પર લેવાથી કાનની બહેરાશ ,કાનનું શૂલને કાનમાં થતો અવાજ મટે છે.
- તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.
- કાનમાં કોઈ જીવ જંતુ ભરાઈ ગયું હોઈ તો સરસિયાના તેલના ટીપા નાખવાથી તે મરી જશે.
- સફેદ કાંદાના રસના ટીપા રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.
- કાનમાં બગાઈ,કાનખજુરો જેવા જીવજંતુઓ ગયા હોઈ તો મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપા નાખવાથી ફાયદો થાય છે,કાનનું શૂળ ને રસી પણ મટે છે.
- કાનમાં દુખાવો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કારિકાનમાં નાખવાથી દુખાવો અને ચસકા મટે છે.
- કાનમાં બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબ ના ટીપા દરરોજ નાખતા રહેવાથી બહેરાશ દૂર થાય છે.
Monday, March 21, 2016
કાનની પીડા
Published :
March 21, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment