- દાઝેલા ઘા પર કક્ડાવેલું તેલ ચોપડવાથી ખુબ ફાઈદો થાય છે.
- દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાકો કાપી ઘસવાથી ફોડલો થશે નહિ.
- દાઝેલા ઘા ઉપર તાન્દલ્જાનો રસ ચોપડવાથી આરામ થાય છે .
- દાઝેલા ઘા ઉપર મેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.
- દાઝેલા ઘા પર ખુબ પાક કેળા ને બરાબર મસળી,ચોંટાડી,પાટો બાંધવાથી,તરત જ શાંતિ થાય છે આરામ થાય છે.
- દાઝેલા ઘા પર તુલસી નો રસ અને કોપરેલ ઉકાળી ને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે.ફોલ્લાઅને જખમ ઝડપથી રૂઝાઈ જાય છે.
- ગરમ પાણી કે તેની વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખુબ આરામ થાય છે.
- દાઝેલા ઘા પર ઈંડા ની સફેદી લગાડવાથી ઘા રૂઝાય જાય છે અને ડાઘ પણ રહેતો નથી.
- ચણાના લોટનું પાતળું દ્રાવણ દાઝેલા ઘા પર સારું કામ કરે છે.
- દાઝયા પર કેરોસીન લગાડવાથી ઘણી શાંતિ થાય છે.તથા જલદી રુઝ આવી જાય છે.
- દાઝેલા ઘા પર છુન્દેલો કાંદો તરત જ લગાડી દેવાથી જલદી આરામ થાય છે.
- જખમ ,ઘા ,ગુમડા,ચાંદા,શીટર-જેમાં બહુ બળતરા થતી હોઈ તો તેમાં ચોકનો બારીક લોટ પાઉડર ની જેમ ચાંદા પર લગાડવાથી દાહ,બળતરા મટે છે.
- દાઝયા પર ફોલ્લા પડ્યા પેલા કાચું બટાટુ લઇ પથ્થર સાથે લસોટી તેનો લેપ લગાડી દેવો.આનાથી દાઝ્યાની વેદના અને બળતરા સામી જાય છે.અને ફોલ્લા પડતા નથીને ડાઘ પડતા નથી.દિવસમાં ત્રણ-ચાર વાર આ લેપ કરવો .
- દાઝ્યાનાં ફોલ્લા ઉપર સૌપ્રથમ તો છાસ લેડી દેવી અથવા ઠંડુ પાણી રેડી દેવું .
- કુંવારપાઠાની છાલ કાઢીને ઘાટો રસ દાઝ્યા પર લગાડતા રહેવો આનાથી બળતરા ઓછી થાય છે અને રુઝ જલદી આવે છે.
Monday, March 21, 2016
દાઝેલા ઉપર
Published :
March 21, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment