- દાઝેલા ઘા પર કક્ડાવેલું તેલ ચોપડવાથી ખુબ ફાઈદો થાય છે.
- દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાકો કાપી ઘસવાથી ફોડલો થશે નહિ.
- દાઝેલા ઘા ઉપર તાન્દલ્જાનો રસ ચોપડવાથી આરામ થાય છે .
- દાઝેલા ઘા ઉપર મેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.
- દાઝેલા ઘા પર ખુબ પાક કેળા ને બરાબર મસળી,ચોંટાડી,પાટો બાંધવાથી,તરત જ શાંતિ થાય છે આરામ થાય છે.
- દાઝેલા ઘા પર તુલસી નો રસ અને કોપરેલ ઉકાળી ને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે.ફોલ્લાઅને જખમ ઝડપથી રૂઝાઈ જાય છે.
- ગરમ પાણી કે તેની વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખુબ આરામ થાય છે.
- દાઝેલા ઘા પર ઈંડા ની સફેદી લગાડવાથી ઘા રૂઝાય જાય છે અને ડાઘ પણ રહેતો નથી.
- ચણાના લોટનું પાતળું દ્રાવણ દાઝેલા ઘા પર સારું કામ કરે છે.
- દાઝયા પર કેરોસીન લગાડવાથી ઘણી શાંતિ થાય છે.તથા જલદી રુઝ આવી જાય છે.
- દાઝેલા ઘા પર છુન્દેલો કાંદો તરત જ લગાડી દેવાથી જલદી આરામ થાય છે.
- જખમ ,ઘા ,ગુમડા,ચાંદા,શીટર-જેમાં બહુ બળતરા થતી હોઈ તો તેમાં ચોકનો બારીક લોટ પાઉડર ની જેમ ચાંદા પર લગાડવાથી દાહ,બળતરા મટે છે.
- દાઝયા પર ફોલ્લા પડ્યા પેલા કાચું બટાટુ લઇ પથ્થર સાથે લસોટી તેનો લેપ લગાડી દેવો.આનાથી દાઝ્યાની વેદના અને બળતરા સામી જાય છે.અને ફોલ્લા પડતા નથીને ડાઘ પડતા નથી.દિવસમાં ત્રણ-ચાર વાર આ લેપ કરવો .
- દાઝ્યાનાં ફોલ્લા ઉપર સૌપ્રથમ તો છાસ લેડી દેવી અથવા ઠંડુ પાણી રેડી દેવું .
- કુંવારપાઠાની છાલ કાઢીને ઘાટો રસ દાઝ્યા પર લગાડતા રહેવો આનાથી બળતરા ઓછી થાય છે અને રુઝ જલદી આવે છે.
Monday, March 21, 2016
દાઝેલા ઉપર
Published :
March 21, 2016
Author :
Unknown
ઘા - જખમ
Published :
March 21, 2016
Author :
Unknown
- ઘા માંથી લોહી નીકળતું હોઈ તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.
- તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલ્દી રુજાઈ છે
- તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રુજાઈ છે
- તાજા ઘા ઉપર જેઠી મધમાં મધ મેળવી કાળવીને ભરી દેવાથી જલ્દી રુજ આવે છે.
- લાગેલા વાઢ,કાપ,ઘા ઉપર તાજો પેશાબ લગાડવાથી જલદી રુજ આવે અને પાકતો નથી.
- ઘા કે જખમ માંથી લોહી નીકળતું હોઈ તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી ને રુજ જલદી આવે છે.
- વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
- હળદર ને તેલમાં કકડાવીને તે તેલ ઘા-જખમ પર ચોપડવાથી ન રુજાતા ઘા જલદી રૂઝાય જાય છે.
- તેલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલદી રૂઝાય જાય છે.
- ફુલાવેલી ફટકડીનો પાવડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે.અને ઘા પાકતો નથી
- લોહી નીકળતા ઘા પર પાન માં નાખવાનો ઘાટો ચૂનો ચોપડી તેના પર તલ નું પોતું મૂકી પાટો બાંધવાથી ઘા રૂઝાય જાય છે.
- હિંગ અને લીંબડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમ માં પડેલા કીડા મરી જાય છે.અને ઘા રૂઝાય જાય છે.
- રાય ના લોટને ઘી અને મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મટી જાય છે અને ઘા જલદીથી રૂઝાય જશે.
- ગાજરને કાજળી કોઈ પાન લોટમાં ઉમેરી ફોલ્લા તથા બળતરા વાળા ઘા પર બાંધવાથી ઘા રૂઝાય જાય છે.
- તાજા ઘા ઉપર જેથી મધમાં મધ મેળવી કાલવીને ભરી દેવાથી જલદી રુઝ આવે છે.
ગળું
Published :
March 21, 2016
Author :
Unknown
- લવિંગને જરા શેકી મોમાં રાખી ચૂસવાથી ગાળાનો સોજો મટે છે.
- લસણને ખુબ લસોટી ,મલમ જેવું કરી,કપડાંપર લગાડી,પેટ્ટી બનાવી કંઠમાળ જેવી ગાળાની ગાંઠ પર લગાડવાથી ગાળાની ગાંઠ મટે છે.
- કંઠમાળ પર જવના લોટમાં કોથમીર નો રસ મેળવીને રોજે લગાડવાથી કંઠમાળ મટે છે.
- કાંદાનું કચુંબર જીરું અને સિંધવ નાખી ખાવાથી ગાળું સાફ રહે છે.કફની ખરેટી બાઝતી નથી.
- કોથમીર ચાવી ચાવીને ચૂસવાથી કોઈપણ ગાળાનો દુખાવો મટે છે.
- ગળું આવી ગયું હોઈ તો સરકાના કોગળા કરવાથી મટે છે.
- પાન ખાવાથી મોઢું આવી ગયું હોઈતો મોઢામાં લવિંગ રાખવાથી મટે છે.
- ગળું બેસી ગયું હોઈ તો મીઠાના ગરમ પાણીથી કોગળાકરવાથી મટે છે.
- મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી ગળાની બળતરા મટે છે.
- ટંકનખારને પાણીમાં ઓગળી કોગળા કરવાથી ગાળાની બળતરા મટે છે.
- ગરમ કરેલા દુધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
- દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ મેળવી ચાટણ બનાવી જીભ ઉપર ચોપડવાથી જીભ ઉપર કાતરા પડી ગયા હશે તો મટી જશે.
ખરજવું ,ખસ ,ખૂજલી ,દરાજ
Published :
March 21, 2016
Author :
Unknown
- ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે .
- તાંદલજા ભાજીના રસમાં સાકાર મેળવીને પીવાથી ખસ મટે છે.
- જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખૂજલી મટે છે.
- એળીઓ દહિમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.
- ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે.
- ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.
- દાદર-ખરજવા ઉપર ઘાસલેટમાં ગંદક મેળવીને લગાડવાથી તે મટી જાય છે.
- ખંજવાળ આવતી હોઈ તો તુલસીના પાનનો રસ ઘસવાથી તે મટી જાય છે.
- તુવેરના પણ બાલી દહીં સાથે લગાડવાથી ખાસ મટે છે.
- આખા શરીરે ખંજવાળ આવતી હોઈ તો સરસવના તેલ થી માલિશ કરવાથી ખંજવાળ મટે છે.
- કોપરેલ અને લીંબુ નો રસ મેળવી શરીર પર માલિશ કરવાથી ખુજલી,દરાજ મટે છે.
- મધ્યમ કદના ખેતરમાં થતું બટાટુ બાફી,તેની પોટિશ કરી રાત્રે ખરજવા પર મૂકી પાટો બાંધી સવારે છોડી નાખવો .આ રીતર રોજે 1 મહિનો કરવાથી જૂનું,હઠીલું સૂકું ખરજવું મટે છે.
- રાઇને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી તે મટે છે.
- ચણાના લોટમાં પાણી મેળવી શરીરે માલિશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
- આમળા બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
- કોપરું ખાવાથી અને કોપરું વાટી બારીક ખીરું કરી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે.
- ટામેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ ઉમેરી તેનાથી માલિશ કરી,અર્ધ કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.
- પપૈયા નું દૂધ અને ટંકારખાર ને ઉકળતા પાણીમાં મેળવે લેપ કરવાથી ખરજવું , ખસ મટે છે.
- કુંવાડીયાનાં બીજને ખાતી છાસમાં અથવા લીંબુ ના રસ માં વાટી અને મલમ જેવું બનાવીને દાદર ઉપર લગાડવાથી દાદર મટે છે.
- કડવા લીંબડાના કુણા પાનને પાણીમાં ઉકાળી ,પાણી સાધારણ ઠંડુ થાય ત્યારે તે પાણીથી દાદરવાળો ભાગ ધોઈને દિવસમાં ત્રણ-ચાર વાર મલમ લગાડવો.
- ખરજવા ઉપર લીંબડાના બાફેલા પણ બાંધવાથી ,લીંબડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
- બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
- કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
- કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાવવાથી ખરજવું મટે છે.
- ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાલી તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
ગૂમડા
Published :
March 21, 2016
Author :
Unknown
- ગૂમડા ઉપર માખણ લગાડી રૂ નો પાટો બાંધી રાખવાથી ગુમડું ફૂટી જશે .
- બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીશ બનાવી ગૂમડા પર બાંધવાથી ગુમડું ફૂટી જશે .
- સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગુમડું બેસી જશે.
- લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાઠ,ગુમડા પાકીને ફૂટી જશે.
- બી કાઢી નાખેલી કાળી દ્રાક્ષ માં થોડું પાણી નાખી વાટી મલમ જેવું બનાવીને કાપડાની પટ્ટી બનાવી ગુમડા ઉપર મૂકી પાટો બાંધવાથી ગુમડુ ફૂટી જાય છે.
- દરરોજ સવારે લીમડાના પાનનો રસ પીવાથી પેટ સાફ આવે છે અને ગુમડા થતા નથી ને થયેલા હોઈ તો તે મટી જાય છે.
- હળદરની રાખ અને ચૂનો ભેગો કરી લેપ કરવાથી ગુમડુ ફૂટી જશે.
- ગાજર ને બાફી એની પોટિશ કરીને બાંધવાથી ગુમડા સારા થઈ જશે.
- બોરડીના પાન વાટી , ગરમ કરી , પોટિશ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકી જશે.
- પાલખ અથવા તાંદળજાનાં પાનની પોટિશ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકી જશે.
- કાંદાને કાતરીને ઘી અથવા તેલમાં શેકી તેમાં હળદર મેળવી પોટિશ કરી બાંધવાથી ગુમડુ પાકીને ફૂટી જશે .
- ઘઉંના લોટમાં હળદર અને મીઠું નાખી પોટિશ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ ફૂટી જશે .
કાનની પીડા
Published :
March 21, 2016
Author :
Unknown
- આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે.
- મધના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
- તલના તેલમાં હિંગ નાખી ઉકાળી તે તેલના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે.
- નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેના ટીપા નાખવાથી કાનના ચસકા અને કાનનો દુખાવો મટે છે.
- તેલમાં લસણની કળી કકડાવીને ,તે તેલના ટીપા કાનમાં નાખવાથી કાનના સાંસા અને કાનની રસી મટે છે .
- તુલસીના રસના ટીપા કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને ચસકા મટે છે અને પરુ થયું હોઈ તો તે પણ મટે છે .
- કાંદા નો રસ અને મધ મેળવી તેના ટીપા કાનમાં નાખવાથી સણકા મટે છે અને પરુ થયું હોય તો તે પણ મટે છે.
- આંબાના પાનનો રસ ગરમ કરીતેના ટીપા નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.
- ફુલાવેલી ફટકડી અને હળદર ભેગા કરી કાનમાં નાખવાથી કાં પકિયો હોય અને રસી નીકળતી હોઈ તો તે મટે છે.
- વરિયાળી અડકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો .તે પાણીની વરાળ દુખતા કાં પર લેવાથી કાનની બહેરાશ ,કાનનું શૂલને કાનમાં થતો અવાજ મટે છે.
- તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા પર લેપ કરવાથી સોજો મટે છે.
- કાનમાં કોઈ જીવ જંતુ ભરાઈ ગયું હોઈ તો સરસિયાના તેલના ટીપા નાખવાથી તે મરી જશે.
- સફેદ કાંદાના રસના ટીપા રોજ બે વખત કાનમાં નાખવાથી બહેરાશ મટે છે.
- કાનમાં બગાઈ,કાનખજુરો જેવા જીવજંતુઓ ગયા હોઈ તો મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપા નાખવાથી ફાયદો થાય છે,કાનનું શૂળ ને રસી પણ મટે છે.
- કાનમાં દુખાવો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કારિકાનમાં નાખવાથી દુખાવો અને ચસકા મટે છે.
- કાનમાં બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબ ના ટીપા દરરોજ નાખતા રહેવાથી બહેરાશ દૂર થાય છે.
કમરનો દુખાવો - સંધિવા
Published :
March 21, 2016
Author :
Unknown
- અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે
- સુંઠ અને ગોખરું સરખે ભાગે લઇ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે
- સુંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મટે છે
- ખજુરની પાચપેશીનો ઉકાળો કરી ,તેમાં અર્ધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે
- સુંઠ,લસણ,અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી તેની માલીસ કરવાથી કમરનો દુખાવો તેમજ દુખતા સાંધામાં આરામ થાય છે.
- સુંઠ અને હિંગ નાખીને તેલ ગરમ કરી તેની માલીશ કરવાથી કમરનો દુખાવો તેમજ શરીર જકડાઈ ગયું હોઈ તો તે મટે છે. સાંધાનો દુખાવો પણ મટે છે.
- રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલીસ કરવાથી સાંધાનો દુખાવો મટે છે.
- આદુના રસમાં થોડું મીઠું નાખીને માલીશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે, ડોકી રહી ગય હોય તો તે પણ મટે છે.
- જાયફળને સરસિયાના તેલમાં ઘસી માલીશ કરવાથી જકડાયેલા સાંધા છુટા પડે છે અને સંધિવા મટે છે
- લવિંગનું તેલ ઘસવાથી સંધિવાનો દુખાવો મટે છે.
- ધાણા ૧૦ ગ્રામ અને સુંઠ ૩ ગ્રામ લઇ વાટી , તેનો ઉકાળો બનાવી , તેમાં મધ નાખી પીવાથી પડખાનો દુખાવો અને છાતી નો દુખાવો મટે છે.
- સુંઠ,સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારના શૂળ મટે છે.
- જીરું , હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી શૂળ મટે છે.
- એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુખાવો મટે છે.
- સુંઠનો ઉકાળો કરી,તેમાં એક ચમચી દીવેલ નાખીને પીવાથી સંધિવાનો દુખાવો મટે છે.
- દોથ બે તોલા મેથી રોજ ફાકવાથી વ મટે છે.
- કોઈ પણ પ્રકારના શૂળ-પડખા , છાતી , હદય કે માથામાં દુખાવો હોય ત્યારે તુલસીનો રસ ગરમ કરી તેના પર માલીસ કરવાથી તરત આરામ થાય છે. આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પી જવો.
- મેથીને થોડા ઘી માં શેકી તેનો લોટ કરવો , તેમાં ગોળ ,ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા .આ લાડુ ૮-૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો અને સંધિવા મટે છે.જકડાઈ ગયેલા અંગો છુટા પડે છે અને હાથે પગે થતી કળતર પણ મટે છે.
- કાચા બટાટાની છાલ કાઢ્યા વગર ટુકડા કરી તેનો રસ કાઢી તુરત જ પીવાથી સંધિવામાં ઘણો ફાયદો થાય છે.
- તાંબાના વાસણમાં આખીરાત રાખેલું પાણી સવારે નરણે કોઠે પીવાથી સંધિવા ફાયદો થાય છે.
- સુંથનો કાઢો બનાવીને પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
- સાંધાના દુખાવામાં કેરોસીન જરા ગરમ કરી માલીશ કરો.
- દરિયાના પાણીમાં નિયમિત સ્નાન કરવાથી સંધિવાના દર્દીને ખુબ જ ફાયદો થાય છે. દરિયાના પાણીમાં સ્નાન કરવાનું શક્ય ના હોય તો દરિયાઈ મીઠું ગરમ પાણીમાં ઓગળી તેનાથી સ્નાન કરવું.
- કોચાના બીજ ૧ કિલો લઇ સાંજે પાણીમાં પલારો.સવારે તેના ફોતરા ઉખાડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સુકવી દો સુકાયા બાદ તેનું ચૂર્ણ બનાવી ૩ ગ્રામ ચૂર્ણ સાથે ૧ ગ્રામ અશ્વગાંધા નું ચૂર્ણ મેળવી રોજ સવારે અને રાત્રે જમ્યા પહેલા ગરમ દૂધ સાથે લેવાથી સંધિવા તથા લકવાના રોગીને ફાયદો થાય છે.
Subscribe to:
Posts (Atom)