- સુતા પહેલા ઠંડા પાણી વડે હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
- ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ સારી આવે છે.
- કાંદાનું રાયતું રાત્રે ખાવાથી સરસ ઊંઘ આવે છે
- પીપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને પગે ઘસવાથી સારી ઊંઘ આવે છે.
- ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ સારી આવે છે.
- કુમળા વેગણને શેકી,મધમાં મેળવીને સુતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.
- વરીયાળી , દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી ઊંઘ સારી આવે છે.
- જાયફળ,પીપલીમૂળ તથા સાકાર દુધમાં નાખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
- ૨ થી ૩ ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સુતી વખતે લેવાથી ઊંઘ સારી આવે છે.
- ખુબ વિચાર,વાયુ કે વૃધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી રાતની ઊંઘ ઉડી જાય ત્યારે ગથોદાનું ચૂર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
- દુધમાં ખાંડ તથા ગથોડાનું ચૂર્ણ નાખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.
- રાતના સુતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલ્દી આવી જાય છે.
Monday, February 8, 2016
અનિન્દ્રા-ઊંઘ ન આવવી
Published :
February 08, 2016
Author :
Unknown
હેડકી
Published :
February 08, 2016
Author :
Unknown
- કાંદાના રસના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
- થોડી હળદર પાણી સાથે ફાકી જવાથી હેડકી બંધ થાય છે.
- દુધમાં સુંઠ ઉકાળીને તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
- મૂળાનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
- સરગવાના પાનનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
- જાયફળને ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી હેડકી બંધ થાય છે.
- સુંઠ અને ગોળને ગરમ પાણીમાં મેળવી તેના ટીપા નાકમાં નાખવાથી હેડકી બંધ થાય છે.
- ગોળના પાણીમાં સુંઠ ઘસી થોડી થોડી વારે સુંઘવાથી હેડકી બંધ થાય છે.
- શેરડીનો રસ પીવાથી હેડકી બંધ થાય છે.
- અડદ અને હિંગનું ચૂર્ણ દેવતા પર નાખી તેનો ધુમાડો મોમાં લેવાથી હેડકી બંધ થાય છે.
- નારીયેરના છોડાને બાળી તેની રાખ મધમાં ચાટવાથી હેડકી બંધ થાય છે.
- ગાયનું દૂધ ઉકાળીને પીવાથી હેડકી બંધ થાય છે.
- ગાજર પીસીને સુંઘવાથી હેડકી બંધ થાય છે.
- તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાચ ગ્રામ ભેગું કરી પીવાથી હેડકી બંધ થાય છે.
- જીરું ખાવાથી હેડકી બંધ થાય છે.
- આંબાના પાંદડાને બાળી તેનો ધુમાડો લેવાથી હેડકી બંધ થાય છે.
ચક્કર આવવા
Published :
February 08, 2016
Author :
Unknown
- વરીયાળી તથા ખાંડ સરખે ભાગે લઇ,ચૂર્ણ બનાવી,સવાર સાંજ લેવાથી ચક્કર બંધ થાય છે.
- મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતા બંધ થાય છે.
- તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતા બંધ થાય છે.
- બસમાં ચકકર આવતા હોય તો તજ અથવા લવિંગ મોમાં રાખવા .આખો બંધ રાખવી
- હિંગને શેકીને પાવડર બનાવવો,તેમાંથી થોડી હિંગ સુવાવડી સ્ત્રીને ઘી સાથે અથવા પાણી સાથે આપવાથી તેને આવતા ચક્કર તથા પેટનો દુખાવો બંધ થાય છે.
એસીડીટી
Published :
February 08, 2016
Author :
Unknown
- સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસીડીટી મટે છે.
- અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસીડીટી મટે છે.
- સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહી મેલવીને ખાવાથી એસીડીટી મટે છે.
- અમલાનો રસ એક ચમચી,કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસીડીટી મટે છે.
- એલચી, સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસીડીટી મટે છે.
- દ્રાક્ષ અને બલહરડે સરખે ભાગે લય,એટલી જ સાકર મેળવી,તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી અને તે લેવાથી એસીડીટી મટે છે.
- કોળાના રસમાં સાકર નાખી પીવાથી એસીડીટી મટે છે.
- ગન્થોલા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસીડીટી મટે છે.
- સુંઠ , ખડી સાકર અને અમલાનું ચૂર્ણ લેવાથી એસીડીટી મટે છે.
- અર્ધા લીટર પાણીમાં એક લીંબુનો રસ નાખી ,અર્ધી ચમચી સાકર નાખી ,બપોરના જમવાના અર્ધા કલાક પહેલા લેવાથી એસીડીટી મટે છે.
- ધાણા જીરૂનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
- ગાજરનો રસ પીવાથી એસીડીટી મટે છે.
- ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દુધમાં થોડી સાકર તથા સાંતરેલા ૪-૫ નંગ કાળા મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે.
- ૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરું ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસીડીટી મટે છે..
- તુલસીના પાનને દહીં કે છાસ સાથે લેવાથી એસીડીટી મટે છે.
- અમલાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસીડીટી મટે છે.
- લીમડાના પાન અને આમળાનો ઉકાળો બનાવી પીવાથી એસીડીટી મટે છે.
- ધાણા અને સુંથનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસીડીટી મટે છે.
- કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસીડીટી મટે છે.
- સતાવારીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસીડીટી મટે છે.
- સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલુણ નાખીને પીવાથી એસીડીટીમાં ઘણો ફાયદો થાય છે.
શરદી
Published :
February 08, 2016
Author :
Unknown
- ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
- ગરમાગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.
- સુંઠ,કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- નાગરવેલના બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદીમાં રાહત થાય છે.
- રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
- આદુનો રસ અને મધ એક એક ચમચી સવાર સાંજ પીવાથી શરદી મટે છે.
- રાઈ ને વાટી મધ ભેળવીને પીવાથી શરદી મટે છે.
- ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદી મટે છે.
- ગરમાગરમ દુધમાં મરીની ભૂકી અને સાકાર નાખીને પીવાથી શરદી મટે છે.
- મરી,તજ,અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
- લીંબુના રસમાં આદુનું કચુંબર અને સિંધવ નાખી પીવાથી શરદીમાં રાહત થાય છે.
- પાણીમાં સુંઠ નાખી ઉકાળીને પીવાથી શરદી મટે છે.
- કાળા મરી અને શેકેલી હળદરનું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
- હળદરનો ધુંવાડો સુંઘવાથી શરદી તરત જ મટી જાય છે.
- રાત્રે સુતી વખતે એક કાંદો ખાવાથી ( ઉપર પાણી પીવું નહિ ) શરદી મટે છે.
- કાંદાના રસના ટીપા નાકમાં નાખવાથી શરદી મટે છે.
- ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
- ફુદીનાના રસના ટીપા નાકમાં નાખવાથી પીનસ (સળેખમ) મટે છે
- લવિંગના તેલને રૂમાલમાં નાખી સુંઘવાથી શરદી સળેખમ મટે છે.
- સુંઠના ચૂર્ણમાં ગોળ અને થોડુક ઘી નાખી તેની ત્રણ - ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં સતત પલળી કામ કરનાર માટે આ ઉપયોગ ખુબ જ લાભદાયક છે.આનાથી શરીરની શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.
- સુંઠ,તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી , સળેખમ મટે છે.
- તુલસીના પાનનો રસ ને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.
- તુલસીના પાનવાળી ચા પીવાથી શરદી ,સળેખમ મટે છે.
- તુલસી , સુંઠ,કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણ વાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
- ગરમ પાણીમાં લસણનો રસ મેળવી કોગળા કરવાથી શરદી મટે છે.
કબજિયાત
Published :
February 08, 2016
Author :
Unknown
- અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
- પાકા ટામેટાનો એક કપરસ પીવાથી આતરડાનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
- રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.
- લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
- નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે.
- ખજુર રાત્રે પલાળી રાખી ,સવારે મસળી ,ગળી ને આ પાણી પીવાથી કબજિયાત મટે છે.
- ગરમ પાણી માં એક ચમચી આદુનો રસ,એક ચમચી લીંબુ નો રસ ને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.
- રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે.
- ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર-સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
- ચાર ગ્રામ હરડે ને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજિયાત મટે છે.
- રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દુધમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી કબજિયાત મટે છે.
- અજમાના ચૂર્ણમાં સંચળ નાખી ફાકવાથી કબજિયાત મટે છે.
- તુલસીના ઉકાળામાં સિંધવ અને સુંઢ ભેળવીને ફાકવાથી કબજિયાત મટે છે.
- જાયફળ લીંબુના રસમાં ઘસીને ને તે ઘસારો લેવાથી કબજીયાત મટે છે.
- જમ્યા પછી એકાદ કલાકે ત્રણ થી પાચ હિમેજ ખુબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.
- કાંદાને ગરમ રાખમાં શેકી,રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે અને શક્તિ વધે છે.
- દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરીયાળી રોજ ફાકવાથી કબજિયાત દુર થાય છે.
- કબજિયાત હોય અને ભૂખ ઓછી હોય તો સૂઠ,પીપર,જીરું,સિંધાલુણ ,કળા મરી સરખે ભાગે લઇ,બારીક વાટી,ચૂર્ણ બનાવી,બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કબજિયાતમાં ફાયદો થાય છે.
- કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી ,સવારે દ્રાક્ષને મસળી,ગાળી,તે પાણી પીવાથી કબજિયાત મટે છે.
Subscribe to:
Posts (Atom)