Thursday, January 28, 2016
રતવા
Published :
January 28, 2016
Author :
Unknown
- શેકેલા જવનો લોટ અને જેઠી મધનું ચૂર્ણ ધોયેલા ઘીમાં મેળવી લેપ કરવાથી રતવા મટે છે.
- ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ કરવાથી રતવા મટે છે.
- નાગોરના પાન વાટી લેપ કરવાથી રતવા મટે છે.
- કમરકાકડીનું ચૂર્ણ બનાવી દુધમાં નાખી,ખીર જેવું બનાવી ખાવાથી રતવા મટે છે .
નશો ઉતારવો
Published :
January 28, 2016
Author :
Unknown
- બે ચાર જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઉતારેછે
- છાસ પીવાથી ભાંગનો નશો ઉતારે છે
- મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતારે છે.
- આમલીને પાણીમાં પલાળી ,મસળી,ગાળીને પીવાથી ભાંગનો નશો ઉતારે છે.
- કાનમાં સરસિયાના તેલના ટીપા નાખવાથી ભાંગનો નશો ઉતરે છે.
- સિંધવ મીઠું અને સુંઠ વાટી તેમાં લીંબુનો રસ મેળવીને ચાટવાથી ભાંગનો નશો ઉતરે છે.
- ખજૂરને પાણીમાં પલાળી ,મસળીને પીવાથી દારૂનો નશો ઉતરે છે.
- કાકડી ખાવાથી અથવા કાકડી અને કાંદાનો રસ પીવાથી દારૂનો નશો ઉતરે છે.
- એક રૂપિયાભાર જેટલી ફટકડી પાણીમાં ઓગળી પીવાથી દારૂ પીને લથડીયા ખાતા બેભાન બનેલા તરત ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.
- મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતારે છે.
શીતળા
Published :
January 28, 2016
Author :
Unknown
- હળદર અને કાથાનું બારીક ચૂર્ણ શીતળાના જામી ગયેલા ઘા પર ભાભારવાથી ફાયદો થાય છે.
- શીતળા નીકળે ત્યારે ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી,ગાળી તેના વડે આખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી .
- શીતળા નીકળે ત્યારે ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી,ગાળી તેમાં સાકાર નાખી ચાર-પાચ દિવસ પીવાથી શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે.
- શીતળાનો રોગચારો ચાલતો હોય ત્યારે આમલીના પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી .
- ધાણા અને જીરું રાત્રે પલાળી રાખી,સવારે મસળી,ગળી,તેમાં સાકાર નાખી ચાર-પાચ દીવાસ પીવાથી શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે.
- શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સ્તાહે પીવાથી શીતલનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.
દમ-શ્વાસ
Published :
January 28, 2016
Author :
Unknown
- ઘી સાથે દરેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે.
- બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં આરામ થાય છે.
- રોજ ગાજર નો રસ મધ સાથે લેવાથી દમમાં આરામ થાય છે.
- દસ-પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમ મટે છે.
- એલચી ,ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે
- અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
- પંદરવીસ મરીવાટી મધ સાથે રોજ ચાટવાથી શ્વાસ મટે છે.
- ગાજરના રસના ચારપાંચ ટીપા નાકમાં નાખવાથી શ્વાસ મટે છે.
- હળદર અને સુંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
- દમનો હુમલો થયો હોઈ તો એક પાકું કેળું લઇ ,તેને દીવાની જ્યોત પર ગરમ કરી , પછી તેને છોલીને મરીનો ભુક્કો ઉપર ભભરાવીને ખાવાથી આરામ મળે છે.
- દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે .
- બે -ત્રણ સુકા અંજીર સવારે ને રાત્રે દુધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ધટે છે અને દમ મટે છે.
- નાગરવેલના પાનમાં બે રતીભાર જેટલી ફુલાવેલી ફટકડી ખાવાથી દમ મટે છે.
- તુલસીનો રસ ૩ ગ્રામ ,આદુનો રસ ૩ ગ્રામ એક ચમચી મધ સાથે લેવાથી શ્વાસ મટે છે .
- તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાચ ગ્રામ ભેગું કરી લેવાથી શ્વાસ મટે છે.
- ફુલાવેલી ફટકડી અને સાકાર સરખે ભાગે લઇ દિવસમાં ચાર વખત અર્ધો તોલો જેટલી ફાકવાથી મટે છે .
- આમળાના અઢી તોલા રસમાં એક તોલો મધ, પા તોલો પીપરનું ચૂર્ણ મેળવી લેવાથી શ્વાસ મટે છે .
Subscribe to:
Posts (Atom)