Thursday, January 28, 2016

વાયુ



  1. તુલસી,ફુદીનો,મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ મટે છે.
  2. અજમો ગરમ કરી તેના સરખા ભાગે સિંધવ-મીઠું લઇ,વાટી,ભેગું કરી,તેમાંથી ત્રણ માસા જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ મટે છે.
  3. નાગરવેલના પાન અને સરગવાની છાલને એકત્ર કરી રસ કાઢી પીવાથી નળ ફૂલ્યા હોય તો તે મટે છે .

રતવા

     

  1. શેકેલા જવનો લોટ અને જેઠી મધનું ચૂર્ણ ધોયેલા ઘીમાં મેળવી લેપ કરવાથી રતવા મટે છે.
  2. ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ  કરવાથી રતવા મટે છે.
  3. નાગોરના પાન વાટી લેપ  કરવાથી રતવા મટે છે.
  4. કમરકાકડીનું ચૂર્ણ બનાવી દુધમાં નાખી,ખીર જેવું બનાવી ખાવાથી રતવા મટે છે .

નશો ઉતારવો

                           


  1. બે ચાર જમરૂખ ખાવાથી ભાંગનો નશો ઉતારેછે
  2. છાસ પીવાથી ભાંગનો નશો ઉતારે છે
  3. મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતારે છે.
  4. આમલીને પાણીમાં પલાળી ,મસળી,ગાળીને પીવાથી ભાંગનો નશો ઉતારે છે.
  5. કાનમાં સરસિયાના તેલના ટીપા નાખવાથી ભાંગનો નશો ઉતરે છે.
  6. સિંધવ મીઠું અને સુંઠ વાટી તેમાં લીંબુનો રસ મેળવીને ચાટવાથી ભાંગનો નશો ઉતરે છે.
  7. ખજૂરને પાણીમાં પલાળી ,મસળીને પીવાથી દારૂનો નશો ઉતરે છે.
  8. કાકડી ખાવાથી અથવા કાકડી અને કાંદાનો રસ પીવાથી દારૂનો નશો ઉતરે છે.
  9. એક રૂપિયાભાર જેટલી ફટકડી પાણીમાં ઓગળી પીવાથી દારૂ પીને લથડીયા ખાતા બેભાન બનેલા તરત ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.
  10. મીઠાવાળું પાણી પીવાથી નશો ઉતારે છે.

શીતળા

                      


  1. હળદર અને કાથાનું બારીક ચૂર્ણ શીતળાના જામી ગયેલા ઘા પર ભાભારવાથી ફાયદો થાય છે.
  2. શીતળા નીકળે ત્યારે ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી,ગાળી તેના વડે આખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી .
  3. શીતળા નીકળે ત્યારે ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી,ગાળી તેમાં સાકાર નાખી ચાર-પાચ દિવસ પીવાથી શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે.
  4. શીતળાનો રોગચારો ચાલતો હોય ત્યારે આમલીના પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી .
  5. ધાણા અને જીરું રાત્રે પલાળી રાખી,સવારે મસળી,ગળી,તેમાં સાકાર નાખી ચાર-પાચ દીવાસ  પીવાથી  શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે.
  6. શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સ્તાહે પીવાથી શીતલનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.

દમ-શ્વાસ

                       


  1. ઘી સાથે દરેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે.
  2. બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં આરામ થાય છે.
  3. રોજ ગાજર નો રસ મધ સાથે લેવાથી દમમાં આરામ થાય છે.
  4. દસ-પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમ મટે છે.
  5. એલચી ,ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે
  6. અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
  7. પંદરવીસ મરીવાટી મધ સાથે રોજ ચાટવાથી શ્વાસ મટે છે.
  8. ગાજરના રસના ચારપાંચ ટીપા નાકમાં નાખવાથી શ્વાસ મટે છે.
  9. હળદર અને સુંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
  10. દમનો હુમલો થયો હોઈ તો એક પાકું કેળું લઇ ,તેને દીવાની જ્યોત પર ગરમ કરી , પછી તેને છોલીને મરીનો ભુક્કો ઉપર ભભરાવીને ખાવાથી આરામ મળે છે.
  11. દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે .
  12. બે -ત્રણ સુકા અંજીર સવારે ને રાત્રે દુધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ધટે છે અને દમ મટે છે.
  13. નાગરવેલના પાનમાં બે રતીભાર જેટલી ફુલાવેલી ફટકડી ખાવાથી દમ મટે છે.
  14. તુલસીનો રસ ૩ ગ્રામ ,આદુનો રસ ૩ ગ્રામ એક ચમચી મધ સાથે લેવાથી શ્વાસ મટે છે .
  15. તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાચ ગ્રામ ભેગું કરી લેવાથી શ્વાસ મટે છે.
  16. ફુલાવેલી ફટકડી અને સાકાર સરખે ભાગે લઇ દિવસમાં ચાર વખત અર્ધો તોલો જેટલી ફાકવાથી મટે છે .
  17. આમળાના અઢી તોલા રસમાં એક તોલો મધ, પા તોલો પીપરનું ચૂર્ણ મેળવી લેવાથી શ્વાસ મટે છે .