- ફુદીનાનો રસ પીવાથી ઉલટી મટે છે.
- રાયને જીણી વાટી પાણીમાં પળારી પેટ પર લગાડવાથી ઉલટી મટે છે.
- મરી અને મીઠું વાટીને ફાકવાથી ઉલટી મટે છે.
- ગોળને મધમાં મેળવીને લેવાથી ઉલટી મટે છે.
- આદુનો રસ અને કાંદાનો રસ મેળવીને પીવાથી ઉલટી મટેછે.
- સુંઠ અને ગંડોલા નું ચૂર્ણ મધમાં ચાટવાથી ઉલટી મટે છે.
- મીઠા લીંબડાના પાનનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
- તજનો ઉકાળો પીવાથી ઉલટી મટેછે.
- લીંબુ કાપીને ખાંડ ભભરાવીને ચૂસવાથી અન્નવિકારથી થતી ઉલટી મટે છે.
- શેરડીનો રસ પીવાથી પિત્તની ઉલટી મટે છે.
- તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી ઉલટી મટે છે.
- એલચી અને તુલસીના પાન ખાવાથી ઉલટી મટે છે.
- અલચીના દાણા વાટી ફાકી મારવાથી અથવા મધમાં ચાટવાથી જીવ દાહોલાતો હોય કે ઉલટી થાય એવું લાગતું હોય તો તે મટે છે.
- એક એક તોલો દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એક રસ કરી પીવાથી પિત્તની ઉલટી મટે છે.
- અમલીને પાણીમાં પલાળી તેનું પાણી ગાળી ને પીવાથી પિત્ત ની ઉલટી મટે છે.
- કાંદાનો રસ થોડા પાણીમાં એક કલાક પછી પીવાથી અપચાને લીધે થતી ઉલટી મટે છે.
- ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી-ઉબકા મટે છે.
- અર્ધો કપ ગરમ પાણીમાં ૧ ગ્રામ ખાવાનો સોડા નાખી પીવાથી ઉલટી મટે છે.
- ગાડી કે મોટરબસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઉલટી થવા માંડે ત્યારે મોમાં લવિંગ અથવા તજ રાખી ચૂસવાથી ચક્કર અને ઉલટી બંધ થાય છે.
- લીંબુ કાપી,તેના ઉપર સુંઠ,સિંધવ-મીઠું નાખી , ગરમ કરી ચૂસવાથી અજીર્ણની ઉલટી ર છે અને ખાટ્ટા ઓડકાર મટે છે.
- મમરાનો ઉકાળો બનાવી તેમાં ૨-૪ એલચી,૨-૩ લવિંગ તથા સાકર નાખી ૫-૭ ઉભરા આવવા દઈ ,ઉતારીને ઠંડુ પાડી દો, તે પાણી ગાળીને ૧-૨ ચમચી લીંબુ નીચોવીને અથવા બરફનો ટુકડો નાખીને પીવાથી ઉલટી મટે છે.
- ધાણા પાણીમાં પલાળી રાખી,મસળી,ગાળી, તે પાણીમાં મધ અને ખાંડ નાખી વારંવાર પીવાથી ઉલટી શાંત થાય છે.
Monday, April 18, 2016
ઉલટી
Published :
April 18, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment