Sunday, April 17, 2016

પાણી પીવાથી થતા ફાયદાઓ



  1. આખો દિવસ નવશેકું પાણી પીવાથી શરીર અનેર્જી વાળું રહે છે અને જડપ થી ચરબી ઘટવા લાગે છે.
  2. કસરત કર્યા પહેલા અને પછી પાણી પીવું જોઈં આનાથી શરીર ને પુરતી અનેર્જી મળી રહેશે અને યોગ્ય રીતે કસરત થઇ શકશે . 
  3. રોજ સવારે નવશેકા પાણીમાં થોડું લીંબુ નાખીને પીવાથી શરીર માં ચરબીનો ઘટાડો થાય છે.
  4. પાણી દ્વારા વજન ઘટાડવા માટે ગ્રીન ટી દરરોજ પીવાથી વજનમાં ઘટાડો જોવા મળે છે.
  5. જયારે તમે સલાડ ખાવો ત્યારે તેની સાથે પાણી પીવાથી  શરીર ની વધારાની ચરબી ઘટવા લાગશે 
  6. જયારે તમને તીવ્ર ભૂખ લાગે છે ત્યારે ખોરાક ની જગ્યાએ પાણી પીવાથી ભૂખ સંત થાય જશે અને શરીર ઘટાડવામાં પણ મદદરૂપ થશે .
  7. સવારે ઉઠતા જ નળના કોઠે ૧ ગ્લાસ નવશેકું  પાણી પીવો આ આદતથી પાચનતંત્ર મજબૂત બને અને શરીરના હાનીકારક તત્વો દુર થશે 
  8. ભોજન પહેલા પાણી પીવાથી ઓછું ખવાઈ છે અને તેથી શરીર વધતું નથી 
  9. દરરોજ ૪ લીટેર થી વધારે પાણી પીવાથી પેટ  વધતું નથી 

ચહેરા નો રંગ ગોરો કરવાના નુસકા


  1. રોજ સવારે એક ચમચી દહીં લઈને ચહેરા પર મસાજ કરો અને સુકાઈ ગયા પછી ચહેરાને ધોહી લો આ નુસકા ને નિયમિત રીતે કરવાથી ચહેરાનો રંગ ગોરો થઇ જશે અને ખીલની  સમસ્યા પણ દુર થઇ જશે.
  2. ગુલાબ જળ થી ચહેરો ધોવાથી અથવા વધુ ફાયદો મેળવવા માટે ગુલાબના પાનને  પાણી માં પેસ્ટ બનાવી ૧ દિવસ માટે તેને મૂકી રાખો બાદ માં બીજા દિવસે તે લગાવવાથી ચહેરાનો રંગ ગુલાબી થવા લાગશે 
  3. દુધમાં એક ચપટી હળદર મેળવી લગાવવાથી અથવા ચણાના લોટમાં હળદર ને દૂધ મેળવીને લાગવાથી ચહેરો ગ્લો વધવા  લાગશે 
  4. ચહેરા ને ચમકીલો બનાવવા માટે કાકડીની પેસ્ટ કે કાકડી ઘસવાથી ચહેરો ચમકીલો બનશે.
  5. મધ ખાવાથી ને લગાવવાથી પણ ચહેરો ગ્લો મારવા લાગે છે મધ  થી મસાજ કરીને થોડી મિનીટ પછી ચહેરો ધોઈ લેવાથી પણ સારો ફાયદો મળે  છે બે અઠવાડિયામાં ચહેરાનો રંગ ફરી જશે ને ચહેરો ગોરો થવાનો અહેસાસ થશે 
  6. તુલસીના પાનનું જુસ બનાવીને ચહેરા પર લગાવી હળવે હાથે થી મસાજ કરો ને નવશેકા પાણીથી ધોઈ લો આ ઉપાય રોજ કરવાથી ચહેરાની સુંદરતા માં વધારો જોવા મળશે 
  7. એક પપૈયા  નો કટકો લઈને એને પીસી લો આ પેસ્ટ ને ચહેરા પર લગાવી મસાજ કરી થોડી મીનીટો સુધી રાખો અને ધોઈ લો આમ નિયમિત પાને કરવાથી ચહેરાનો રંગ ગોરો થતો જશે .
  8. ત્વચાનો રંગ નિખારવા માટે રોજ સંતરાનું જુસ ચહેરા પર લગાવો સુકાઈ ગયા પછી ધોઈ લો.
  9. જો ચહેરા પર દાગ ધબ્બા હોઈ તો સંતરાની છાલ નો ઉપયોગ કરો તેને છાંયડા માં સુકવીને પાવડર બનાવી લો આ પાવડર ૧ ચમચી કાચા દુધમાં મેળવીને લાગવાથી ટુક સમયમાં જ ચહેરાનો રંગ નીખરવા લાગશે .

પેટ ફૂલેલું હોઈ તો



  1. રોજ સવારે વહેલા ૨-૩ લસણની કળી ખુબજ ચાવીને ખાવાથી પેટની ચરબી ધીમે ધીમે ઓગળવા માંડશે સતત ૧૫-૨૦ દિવસ આ પ્રયોગ કરવાથી ચરબી ઘટી જશે ને પેટ ફૂલેલું નહી દેખાશે .

Monday, March 21, 2016

હરસ-મસા



  1. તલ વાટી માખણમાં ઘસીને પીવાથી હરસ-મસા મટે છે.
  2. સુંઠનું ચૂર્ણ છાસમાં નાખીને પીવાથી હરસ-મસા મટે છે.
  3. કેરીના ગોટ્લાનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ- મસા મટે છે .
  4. મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી,ગલી,પીવાથી હરસ- મસા મટે છે .
  5. ઘી માં સૂરણ ટાળીને ખાવાથી હરસ- મસા મટે છે .
  6. કળથીના લોટની પાતળી રાબ પીવાથી હરસ- મસા મટે છે.
  7. એક ચમચી કારેલાના રસમાં સાકાર મેળવીને પીવાથી હરસ-મસા મટે છે.
  8. ધાણા અને સાકરનો ઉકાળો પીવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
  9. ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે.
  10. જુવારની કાંજી રોજ સવારે પીવાથી હરસ-મસા મટે છે.
  11. કોકમની ચટણી દહીંની મલાઇ સાથે ખાવાથી દુઝતા હરસ મટે છે.
  12. મસા ઉપર કેરોસીન ચોપડવાથી મસા સુકાઈ જાય છે .

શ્રય


  1. તાજા માખણ સાથે મધ ખાવાથી શ્રયમાં ઘણો ફાયદો થાય છે.
  2. લસણને વાટી,ગાયના દૂધ અને ઘી સાથે મેળવીને ,રોજ ખાવાથી શ્રયરોગ મટે છે.
  3. સફેદ કાંદો ૧૨૫ગ્રામ ,એટલા જ ઘી માં શેકીને એકવીસ દિવસ સુધી ખાવાથી શ્રયરોગીના ખવાય ગયેલા ફેફસા મજબુત થાય છે અને ફેફસાના જંતુ નાશ પામી શ્રયરોગ મટે છે. 
  4. શ્રયની કોઈ પણ દવા કરાવી શકે તેમ ના હોય તેમણે બકરીના ૨૦૦ ગ્રામ દુધમાં મીઠું નાખી સવાર સાંજ  પીવાથી દર્દીનું બળ ટકી રહેશે . કફ સહેલાયથી નીકળી જશે અને શરીર વધુ સુકાઈ જતું અટકશે 
  5. સાકરમાં એનાથી અર્ધા ભાગનું હળદરનું ચૂર્ણ મેળવી , તેમાંથી એક-એક ચમચી ચૂર્ણ મધમાં દિવસે ત્રણ વખત લેવાથી શ્રયનો તાવ , ઉધરસ અને શ્રયની શરદી મટે છે.
  6. ખજુર, દ્રાક્ષ,સાકાર,ઘી,મધ અને પીપર સરખે ભાગે લઇ તેનું ચાટણ બનાવી દરરોજ બે-ત્રણ તોલા જેટલું ચાટણ ચાટવાથી શ્રય ,શ્રયની ખાસી અને શ્વાસમાં ફાયદો થાય છે. 
  7. અરડૂસીના પાનનો રસ ૨૫ થી ૩૦ ગ્રામ ,તેમાં લસણના રસના ૧૦-૨૦ ટીપા નાખી રોજ સવાર-સાંજ પીવાથી શ્રયરોગ મટે છે.
  8. સાંજે એક ગ્લાસ દુધમાં એક ખજુર ભેળવી દો.રાત્રે દુધને પુષ્કળ ઉકાળો , દૂધ ઠંડુ પડે એટલે સુતા પહેલા ખજુર ચાવી ને ખાઈ જાવ ને ઉપર દૂધ પીવો .ઉપર મુજબ સવાર - સાંજ પ્રયોગ કરવાથી શ્રય રોગમાં ખુબ જ ફાયદો થાય છે.

દાંતની પીડા




  1. હિંગને પાણીમાં ઉકલી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.
  2. વડની વદવાઈ દાતણ કરવાથી હલતા દાત મજબુત બને છે .
  3. તલનું તેલ હથેળીમાં લઇ આગળી વડે પેઢા પર ઘસવાથી હલતા દાત મજબુત બને છે.
  4. લીંબુનો રસ દાતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું રોહી બંધ થાય છે.
  5. સરસિયાના તેલ સાથે મીઠું મેળવીને દાંતે ઘસવાથી પાયોરિયા મટે છે
  6. દાતમાં સડો લાગે તો મીઠાના પાણીના કોગળા વારંવાર કરવાથી આરામ મળે છે
  7. કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુખાવો મટે છે .
  8. કાંદો ખાવાથી દાત સફેદ દૂધ જેવા થાય છે.
  9. જીરાને શેકીને ખાવાથી પાયોરીયાની દુર્ગંધ દુર થાય છે .

નસકોરી




  1. નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે,કપાળે,ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે .
  2. લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાતે નાખવાથી નાસકોરીનું દર્દ કાયમ મટે નાબુદ થાય છે.
  3. ઘઉના લોટમાં સાકાર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
  4. મરીને દહીં અને જુના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
  5. કેરીની ગોતલીનો રસ નાક વડે સુંઘવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે.
  6. દુધીનો રસ મધ અથવા સાકાર સાથે  પીવાથી નાકમાંથી કે ગાળામાંથી પડતું લોહી બંધ થાય છે.