Friday, April 22, 2016

વાઈ


૧૦ ગ્રામ લસણ અને ૩૦ ગ્રામ કળા તાલ વાટીને ખાવાથી થોડા દિવસમાં વાઈ નો રોગ મટે છે.


વા



  1. બે ચમચી આદુનો રસ , એક ચમચી લસણનો રસ ,બે ચમચી મેથીની ભાજીના પાનનો રસ મેળવી પીવાથી સાંધા નો વા મટે છે.

યાદ શક્તિ




  1. સવારમાં સ્નાન કાર્ય પછી તુલસીના પાચ પણ પાણી સાથે લેવાથી મગજની નિર્બળતા દુર થાય છે અને યાદશક્તિ વધે છે.

થાક



  1. લીંબુ  શરબત  ખાંડ  નાખી  પીવાથી  થાક  મટે  છે .
  2. ખુબ  મહેનતુ  કામ  કરવાથી  કે  વધુ  ચાલવાથી  થાક  લાગે  તો  ઠંડા  પાણી  માં  ૨૦  ગ્રામ  ગોળ  ઓગળી  તેમાં  એલચી  ના  દાણા વાટી  , પીવાથી  થાક  દુર  થશે  ને  શક્તિ  આવશે 
  3. રાત્રે તાબાના લોટમાં ભરી રાખેલું પાણી સવારે સવારે ઉઠી તરત જ પીવાથી દસ્ત સાફ આવે છે અને આરોગ્ય સારું રહે છે . 

Thursday, April 21, 2016

આંખ ની પીડા



  1. ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને આંખોમાં નાખવાથી રતાધરાપાનુ મટે છે.
  2. કાંદાના રસ માં થોડું મીઠું નાખીને તેના ટીપા આખમાં નાખવાથી રતાધરાપાનુ  મટે છે.
  3. સાકાર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાધરાપાનુ માટે છે.
  4. પાકા ટામેટાનો રસ સવાર સાંજ પીવાથી રતાધરાપાના માં  ખુબ જ ફાયદો થઇ છે.
  5. બકરીના દુધમાં લવિંગ ઘસીને આખોમાં નાખવાથી રતાધરાપાનુ માટે છે.
  6. મારીને પાણીમાં ઘસીને અંજની પર લેપ  કરવાથી અંજની જલ્દી પાકીને ફૂટી જાય છે.
  7. રોજ તાજું માખણ ખાવાથી આખોનું તેજ વધે છે.આખોની રતાશ અને બળતરા મટે છે.
  8. આખોની બળતરા માં માખણ અંદર  અને બહાર લગાવવાથી બળતરા મટે છે. 

Monday, April 18, 2016

ઉલટી


  1. ફુદીનાનો રસ પીવાથી ઉલટી મટે છે.
  2. રાયને જીણી વાટી પાણીમાં પળારી પેટ પર લગાડવાથી ઉલટી મટે છે.
  3. મરી અને મીઠું વાટીને ફાકવાથી ઉલટી મટે છે.
  4. ગોળને મધમાં મેળવીને લેવાથી ઉલટી મટે છે.
  5. આદુનો રસ અને કાંદાનો રસ મેળવીને પીવાથી ઉલટી મટેછે.
  6. સુંઠ અને ગંડોલા નું ચૂર્ણ મધમાં ચાટવાથી ઉલટી મટે છે.
  7. મીઠા લીંબડાના પાનનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
  8. તજનો ઉકાળો પીવાથી ઉલટી મટેછે.
  9. લીંબુ કાપીને ખાંડ ભભરાવીને  ચૂસવાથી અન્નવિકારથી થતી ઉલટી મટે છે.
  10. શેરડીનો રસ પીવાથી પિત્તની ઉલટી મટે છે.
  11. તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી ઉલટી મટે છે.
  12. એલચી અને તુલસીના પાન ખાવાથી ઉલટી મટે છે.
  13. અલચીના દાણા વાટી ફાકી મારવાથી અથવા મધમાં ચાટવાથી જીવ દાહોલાતો હોય કે ઉલટી થાય એવું લાગતું હોય તો તે મટે છે.
  14. એક એક તોલો દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એક રસ કરી પીવાથી પિત્તની ઉલટી મટે છે.
  15. અમલીને પાણીમાં પલાળી તેનું પાણી ગાળી ને પીવાથી પિત્ત ની ઉલટી મટે છે.
  16. કાંદાનો રસ થોડા પાણીમાં એક કલાક પછી પીવાથી અપચાને લીધે થતી ઉલટી મટે છે.
  17. ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી-ઉબકા મટે છે.
  18. અર્ધો કપ ગરમ પાણીમાં ૧ ગ્રામ ખાવાનો સોડા નાખી પીવાથી ઉલટી મટે  છે.
  19. ગાડી કે મોટરબસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઉલટી થવા માંડે ત્યારે મોમાં લવિંગ અથવા તજ રાખી ચૂસવાથી ચક્કર અને ઉલટી બંધ થાય છે.
  20. લીંબુ કાપી,તેના ઉપર સુંઠ,સિંધવ-મીઠું નાખી , ગરમ કરી ચૂસવાથી અજીર્ણની ઉલટી ર છે અને ખાટ્ટા ઓડકાર મટે છે.
  21. મમરાનો ઉકાળો બનાવી તેમાં ૨-૪ એલચી,૨-૩ લવિંગ તથા સાકર નાખી ૫-૭ ઉભરા આવવા દઈ ,ઉતારીને ઠંડુ પાડી દો, તે પાણી ગાળીને ૧-૨ ચમચી લીંબુ નીચોવીને અથવા બરફનો ટુકડો નાખીને પીવાથી ઉલટી મટે છે. 
  22. ધાણા પાણીમાં પલાળી રાખી,મસળી,ગાળી, તે પાણીમાં મધ અને ખાંડ નાખી વારંવાર પીવાથી ઉલટી શાંત થાય છે.

ચહેરાનો રંગ ગોરા કરવાના નુસકા


  1. રોજ સવારે એક ચમચી દહીં લઈને ચહેરા પર મસાજ કરો અને સુકાઈ ગયા પછી ચહેરાને ધોહી લો આ નુસકા ને નિયમિત રીતે કરવાથી ચહેરાનો રંગ ગોરો થઇ જશે અને ખીલની  સમસ્યા પણ દુર થઇ જશે.
  2. ગુલાબ જળ થી ચહેરો ધોવાથી અથવા વધુ ફાયદો મેળવવા માટે ગુલાબના પાનને  પાણી માં પેસ્ટ બનાવી ૧ દિવસ માટે તેને મૂકી રાખો બાદ માં બીજા દિવસે તે લગાવવાથી ચહેરાનો રંગ ગુલાબી થવા લાગશે 
  3. દુધમાં એક ચપટી હળદર મેળવી લગાવવાથી અથવા ચણાના લોટમાં હળદર ને દૂધ મેળવીને લાગવાથી ચહેરો ગ્લો વધવા  લાગશે 
  4. ચહેરા ને ચમકીલો બનાવવા માટે કાકડીની પેસ્ટ કે કાકડી ઘસવાથી ચહેરો ચમકીલો બનશે.
  5. મધ ખાવાથી ને લગાવવાથી પણ ચહેરો ગ્લો મારવા લાગે છે મધ  થી મસાજ કરીને થોડી મિનીટ પછી ચહેરો ધોઈ લેવાથી પણ સારો ફાયદો મળે  છે બે અઠવાડિયામાં ચહેરાનો રંગ ફરી જશે ને ચહેરો ગોરો થવાનો અહેસાસ થશે 
  6. તુલસીના પાનનું જુસ બનાવીને ચહેરા પર લગાવી હળવે હાથે થી મસાજ કરો ને નવશેકા પાણીથી ધોઈ લો આ ઉપાય રોજ કરવાથી ચહેરાની સુંદરતા માં વધારો જોવા મળશે 
  7. એક પપૈયા  નો કટકો લઈને એને પીસી લો આ પેસ્ટ ને ચહેરા પર લગાવી મસાજ કરી થોડી મીનીટો સુધી રાખો અને ધોઈ લો આમ નિયમિત પાને કરવાથી ચહેરાનો રંગ ગોરો થતો જશે .
  8. ત્વચાનો રંગ નિખારવા માટે રોજ સંતરાનું જુસ ચહેરા પર લગાવો સુકાઈ ગયા પછી ધોઈ લો.
  9. જો ચહેરા પર દાગ ધબ્બા હોઈ તો સંતરાની છાલ નો ઉપયોગ કરો તેને છાંયડા માં સુકવીને પાવડર બનાવી લો આ પાવડર ૧ ચમચી કાચા દુધમાં મેળવીને લાગવાથી ટુક સમયમાં જ ચહેરાનો રંગ નીખરવા લાગશે .